Saturday, 5 March 2016

Parliament Discussion Topics- corruption,economy, Intolerance, extrimism , anti nationalism - મારી નજરે

સીન ૧ - મે,૨૦૧૪ પહેલા

૨૦૦૪થી ૨૦૧૪ સુધી આ દેશ માં કોંગ્રેસ ના નેતૃત્વ માં ડઝન પક્ષોના ગઠબંધન વાળી "સેક્યુલર" સરકાર હતી, ત્યારે પણ આ દેશ માં સંસદ ના ૩ અધિવેશન થતા જ અને એમાં પણ આજની જેમ જ સંસદ ની કાર્યવાહી ના કીમતી કલાકો વેડફાતા . અત્યાર નો સતાપક્ષ ભાજપ ત્યારે વિરોધ પક્ષ માં હતો અને વિવિધ મુદ્દા ઓ ઉપર સંસદ ઠપ્પ કરેલી જ . એટલે અત્યારે જયારે વડાપ્રધાન મોદી જયારે વિરોધ પક્ષ પર આક્ષેપ કરે કે વિરોધ પક્ષ નું સંસદ ના ચાલવા દેવાનું કાવતરું છે ત્યારે તેમણે આ ભૂતકાળ યાદ કરવો રહ્યો અને ભવિષ્યમાં જયારે પણ તેઓના પક્ષે વિરોધપક્ષ માં બેસવું પડે (આશા રાખીએ કે ૨૦૨૪ પછી જ ) ત્યારે આ શિખામણ યાદ રાખે.

હવે મે -૨૦૧૪ પહેલા સંસદની કાર્યવાહી નો થોડો ચિતાર લઈએ તો એ ૧૦ વર્ષ માં સંસદ ખોરવાઈ એ મોટા ભાગે  કોલગેટ કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ કે પછી બધા કૌભાંડો નો બાપ કેહવાય એવું  ટુજી કૌભાંડ ને લીધે થયેલી. ભ્રષ્ટાચાર સિવાય ના મુદા જોઈએ તો બિહાર માં કેન્દ્ર સરકાર ની લગભગ ગેરબંધારણીય ભલામણ પછી રાષ્ટ્રપતિશાસન લદાયુ ત્યારે અને અન્ના આંદોલન વખતે એ મુદ્દાઓ સંસદ માં ગુંજેલા. પણ ત્યારે વિરોધ પક્ષને દરેક વખતે મુદાઓ ભેટ માં જ આપેલા યુપીએ સરકારે . (જો કે ત્યારે વિપક્ષ માં રહેલો ભાજપ સંસદ ખોરવવાને બદલે સરકાર ની નિષ્ફળતાઓ અને બેફામ ભ્રષ્ટાચાર ની વિગતે ચર્ચા કરીને અને લોકો ની સમસ્યાઓની ચોટદાર રજૂઆત કરી શક્યો હોત). આ ઉપરાંત બેકાબુ મોંઘવારી, જીવન જરૂરીયાત ની ચીજવસ્તુઓ ના આસમાન ને અડતા ભાવ , વૈશ્વિક મંદીની અસરો  અને વિશ્વના સહુથી કુશળ અર્થશાસ્ત્રીઓ માં ના એક એવા ડૉ. મનમોહનસિંહ ના નેતૃત્વ માં આર્થીક અને લગભગ તમામ મોરચેસ નિષ્ફળતાઓ ચર્ચા ના કેન્દ્ર માં રહેલી. એમના કોઈ મીનીસ્ટર  ૨-જી  કૌભાંડ માં "૦ લોસ થિયરી" અને કોઈ ગરીબી રેખા માટે માથાદીઠ રોજીંદા ૩૨ રૂપિયાની આવક નક્કી કરીને હાસ્યાસ્પદ બનેલા. (અભિષેક મનું સિંઘવી અને એન.ડી.તિવારી એ તો "જુવાની" અને "ચારિત્ર" ની નવી જ વ્યાખ્યાઓ રચેલી)

 ખીચડી સરકાર ના સાથીપક્ષોએ પણ સરકારને ગઠબંધનની મજબુરીઓનો ભરપૂર એહસાસ કરાવેલો. રેલમંત્રી રહેલા લાલુ યાદવે લોકોમાંવાહવાહ મેળવવા દર વખતે નુર ભાડા અને મુસાફર ભાડા ઘટાડીને લગભગ રેલવેનું દેવાળું ફૂંકી દીધેલું (ઉપર થી હાવર્ડ માં ભાષણ ઠોકી આવ્યા એ અલગ ). જેને વ્યવસ્થિત કરતા યુપીએ -૨ ના બાહોશ મીનીસ્ટર દિનેશ ત્રિવેદીને આંખે પાણી આવી ગયેલા. (જેમણે મમતા દીદી ના આદેશ છતાં દેશ ના અહિત નો નિર્ણય  લેવાને બદલે રાજીનામું આપી દીધેલું)
 
આ બધા ની વચ્ચે "રાઈટ ટુ ઇન્ફોર્મેશન" નો  બહુ ઉપયોગી કાયદો સરકાર અમલ માં લાવેલી.(જેનો શસ્ત્ર તરીકે ઉપયોગ  કરીને જ આ સરકાર ના કૌભાંડો પ્રકાશ માં આવેલા ) અને અમેરિકા સાથે ખૂબ જરૂરી એવા પરમાણુ કરાર પણ થયેલા (જેમાં વિરોધ પક્ષે સરકાર ને સાથ પણ આપેલો -ક્રેડિટ્સ ટુ બીજેપી ફોર ધેટ).

લોકશાહીમાં લોકો પાસે ચૂંટણી નું ધારદાર શસ્ત્ર છે અને  આ બધી નિષ્ફળતાઓ વચ્ચે દરેક મુદ્દે મૌન રહેતા વડાપ્રધાનથી કંટાળેલા લોકો એ યુપીએ સરકાર ને ધોબીપછાડ આપી . નીતિશકુમાર જેવા અનેક તકવાદીઓ એ સાથ છોડી દીધા છતાંય ૧૯૮૪ પછી પ્રથમ વખત એકલા હાથે પ્રચંડ વિજય મેળવીને મે-૨૦૧૪ માં મોદી સરકાર સત્તામાં આવી.

સીન-૨:  મે-૨૦૧૪ પછી

પ્રચંડ જનાદેશ મેળવીને સત્તા પર આવેલી મોદી સરકાર પર લોકો ની અપેક્ષાઓ નો બોજ પણ બહુ જ મોટો હોય એ સ્વાભાવિક છે.મોદી સરકારે આવીને પેહલું કામ રાષ્ટ્ર ના મહત્વના પદો પર બાહોશ અધિકારીઓની નિમણુંક કરવાનું કર્યું(અજીત દોવાલ એમના એક). એના પછીનું કામ ગેરકાયદેસર રીતે વિદેશી ભંડોળ મેળવીને દેશના વિકાસ વિરોધી આંદોલનો(નર્મદા આંદોલન જેવા) અને ચળવળો ને સમર્થન કરતી એનજીઓ ને તાળા મારવાનું કર્યું. (અત્યાર ની સેક્યુલર જમાતના પેટ માં પહેલ્વેહલું તેલ ત્યારે રેડાયું હતું)

શરૂઆતના એક વર્ષમાં સરકાર મોંઘવારી પર તાત્કાલિક કાબુ લાવવામાં કે નક્કર પગલા ભરવામાં નિષ્ફળ રહી. કાળા નાણા પાછા લાવવાનો ખયાલી પુલાવ જે ચુંટણીપ્રચારમાં બતાવેલો એ મામલે પણ સરકાર ખાસ કશું ઉકાળી શકી નહી. પણ સરકારે ૧ વર્ષમાં ઘણા નોંધપાત્ર કાર્યો કર્યા.

વિદેશનીતિ માં ધરખમ ફેરફારો આવ્યા, અનેક દેશો સાથે સંબંધ માં સુધારો આવ્યો .અનેક મહત્વના કરારો થયા. ઈરાક માં બંધક બનાવાયેલી નર્સોને છોડાવવામાં કે યમન માં ફસાયેલા ભારતીયો ને પાછા લાવવામાં(ઓપરેશન રાહત ) સરકાર સફળ રહી અને વૈશ્વિક સ્તરે એની નોંધ પણ લેવાઈ. રાષ્ટ્રીય સ્તરે સરકારે કેટલાય ઝરીપૂરાણા કાયદાઓને રદ કર્યા અને કેટલાય માં જરૂરી ધરખમ ફેરફારો કર્યા. આયોજન પંચ ને વિખેરી નાખીને સરકાર નીતિ આયોગ લાવી અને બજેટના નાણા અસરકારક રીતે રાજ્યો ને મળે એવું માળખું બનાવ્યું.

 
(છેલ્લા ૧૦ વર્ષ ની સરખામણી માં છેલ્લા ૨ વર્ષ માં પથરાયેલી નવી રેલ્વે લાઈન )


આ ઉપરાંત પણ કેટલાય માળખાકીય સુધારાઓ અને લાંબા ગાળે ફાયદાકારક યોજનાઓ મૂકી. 'ગંગા શુદ્ધિકરણ અભિયાન', 'સ્વચ્છ ભારત અભિયાન', 'મેક ઇન ઇન્ડિયા', 'ડીજીટલ ઇન્ડિયા', 'સ્ટાર્ટ અપ ઇન્ડિયા'  વગેરે. ૫૦૦૦૦ થી વધુ શાળાઓ માં ટોઇલેટ બનાવ્યા . આ લખું છુ ત્યા સુધીમાં ૧૮૦૦૦ થી વધુ ગામોમાં સરકારે છેલ્લા દોઢ વર્ષમાં વીજળી પહોચાડી.(જે છેલ્લા ૧૦ વરસના આંકડા કરતા વધુ છે). હજારો ગામ સુધી નવી રેલ્વેલાઈનો પણ પાથરવામાં આવી. પૂર્વ ભારત ના કેટલાય અંતરિયાળ ગામો માં પેહલી વખત શાળાઓની સ્થાપના થઇ (આઝાદી ના ૬૬ વર્ષો પછી પણ !)

 
(રાહુલ ગાંધી જેટલું જ IQ ધરાવતા કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પર મુકાયેલી અને બાદ માં ડીલીટ કરવામાં આવેલી પોસ્ટ)

સરકાર ના લોકો પ્રત્યેનો અભિગમ પણ લોકાભિમુખ બન્યો. એક ટ્વિટ કે ઈમૈલ ની ફરિયાદ થી તંત્ર દોડવા લાગ્યું. (સુષ્મા સ્વરાજ, સુરેશ પ્રભુ અને ડૉ.હર્ષવર્ધન એ ઘણા લોકોને સીધી મદદ પહોચાડી છે). આ બધા થી ઉપર દોઢ વર્ષમાં કોઈ નોંધપાત્ર ભ્રષ્ટાચાર નું કૌભાંડ ના થયું (લલિતગેટ નો આક્ષેપ સાવ ધડ માથા વગરનો હતો અને વ્યાપમ તો છેક દિગ્ગી રાજા ના વખત થી ચાલતું આવતું હતું ). શરૂઆત ની રાજ્યો ની વિધાનસભા ની ચુંટણીઓમાં પણ બીજેપી ને સફળતા મળી એટલે ૨૦૧૪ માં ધોબીપછાડ ખાઈ ગયેલો વિપક્ષ એકદમ બેબાકળો બન્યો.

આ દરમિયાન સંસદના સત્રો માં શાશકપક્ષનો હાથ ઉપર રહ્યો. લલિતગેટ જેવા ફાલતું મુદે સંસદ ખોરવાઈ. આ ઉપરાંત રાજ્યસભા માં શાશક્પક્ષની લઘુમતીનો પણ વિપક્ષે પુરો (ગેર)લાભ લીધો. કેટલાય મહત્વના બિલ અટકી પડ્યા . જમીન અધિગ્રહણ મામલે વિરોધ પક્ષો એ લોકો માં સાવ ખોટો હોબાળો મચાવ્યો. આ ઉપરાંત જીએસટી બિલ પણ અટકી પડ્યું. પણ સંસદ માં પણ "મોદી મેજીક " યથાવત રહ્યો. ક્યારેય સંસદ ની કાર્યવાહી માં બહુ રસ ના લેતા લોકોમાં પણ મોદી ના સંસદ માં આપેલા ભાષણો ચર્ચાવા માંડ્યા.
 આ બધા ની વચ્ચે  બિહાર ની ચુંટણીની તારીખો નજીક આવવા લાગી


(વધુ ભાગ-૨ માં)

(ક્લિક કરો ભાગ-૨ ઉપર ની લીંક પર)

1 comment: